
પીએમ મોદીએ કહ્યું કે હું સ્પષ્ટ કહું છું કે જે આતંકવાદીઓએ આ હુમલો કર્યો છે અને જેમણે તેનું કાવતરું ઘડ્યું છે તેમને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે.
PM Modi On Pahalgam Attack: પીએમ નરેન્દ્ર મોદીએ પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારના મધુબની જિલ્લામાં એક સરકારી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ સૌપ્રથમ પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને મૌન પાળ્યું હતું. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે આતંકવાદીઓને તેમણે વિચાર્યું પણ નહિ હોય તેવી સજા મળશે.
► ભારતની આત્મા પર હુમલો - પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યક્રમને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોની જે ક્રૂરતાથી હત્યા કરી તેનાથી આખો દેશ દુઃખી છે. આખો દેશ તમામ પીડિત પરિવારોની સાથે ઉભો છે. આતંકવાદી હુમલામાં કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો છે, કોઈએ ભાઈ તો કોઈએ પોતાના જીવનસાથી. દેશના દુશ્મનોએ ફક્ત નિઃશસ્ત્ર પ્રવાસીઓ પર જ નહિ, ભારતની આત્મા પર હુમલો કરવાની હિંમત કરી છે.
► વિચાર્યું પણ નહિ હોય તેવી સજા મળશે - પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે હું સ્પષ્ટ કહું છું કે જે આતંકવાદીઓએ આ હુમલો કર્યો છે અને જેમણે તેનું કાવતરું ઘડ્યું છે તેમને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે. આ લોકોને ચોક્કસ સજા મળશે. હવે આતંકવાદીઓની થોડી વધેલી બચેલી જમીનને પણ માટીમાં ભેળવવાનો સમય આવી ગયો છે. આ લોકોએ તેના વિશે વિચાર્યું પણ નહીં હોય. અમે આવી સજા આપીશું.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Pahalgam Attack - pm modi